
શ્વાનની વસતી ગણતરીમાં કોઈને રસ નથી! : મનપાએ પાંચ વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ પણ કોઈ સંસ્થા મળી નહીં; સુરતમાં 11 મહિનામાં ડોગ બાઈટના 4,857 કેસ નોંધાયા - surat news
Play all audios:

સુરતમાં ડોગ બાઈટની ઘટનાઓ વધતી જાય છે, જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા જાણવા માગે છે કે શહેરમાં કુલ કેટલા શ્વાન છે. આ માહિતી મેળવવા માટે અત્યાર સુધીમાં લગભગ પાંચ વખત ટેન્ડર જાહેર
કરવામાં આવ્યા છે, જેથી ખબર પડી શકે કે સુરતમાં કુલ કેટલા શ્વાન છે, . દર મહિને ડોગ બાઈટના 550 કેસ નોંધાય છે સુરત શહેરમાં દર મહિને સરેરાશ 550 ડોગ બાઈટના કેસ નોંધાય છે. વર્ષ 2024થી ફેબ્રુઆરી
2025 સુધીમાં કુલ 4,857 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ જાન્યુઆરી 2025માં 556, ઓગસ્ટ 2024માં 554, અને એપ્રિલ 2024માં 534 નોંધાયા હતા. રખડતા શ્વાનોના ત્રાસના કારણે ડોગ બાઈટના કેસોમાં વધારો
જોવા મળી રહ્યો છે. લોકો આ અંગે ઓનલાઇન અને લેખિતમાં ફરિયાદ કરે છે, ત્યારબાદ માર્કેટ વિભાગ દ્વારા જે તે વિસ્તારમાં રખડતા શ્વાન પકડવાની અને ખસીકરણ-રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ચાર વર્ષમાં
45 હજારથી વધુ શ્વાનોના ખસીકરણ-રસીકરણ કરાયા 2021થી આજદિન સુધી છેલ્લા ચાર વર્ષમાં 45,545 શ્વાનોના ખસીકરણ-રસીકરણ કરવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં 3,605, વર્ષ 2022-23માં 9,289, વર્ષ 2023-24માં
16,862 અને વર્ષ 2024-25માં 15,799 શ્વાનના ખસીકરણ-રસીકરણ કરવામાં આવ્યા છે. સતત દર વર્ષે આ સંખ્યા વધી રહી છે, ત્યારે આવા કેસોને નિકાલ કરવા માટે, સુરત મહાનગરપાલિકા શ્વાનોની કુલ સંખ્યા જાણી લેવા
માગે છે. શ્વાનની વસતી ગણતરીની પ્રક્રિયા ખુબ જટિલ સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી પાંચ વખત ટેન્ડર બહાર પાડી ચૂકી છે પણ કોઈ સંસ્થા ન મળવાનું મુખ્ય કારણ એ છે કે, સુરતમાં શ્વાનોની સંખ્યા ખૂબ જ
વધુ છે અને તેમને શોધવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. સાથે જ તેમની ઓળખ કઈ રીતે કરી શકાય તે પણ એક મોટો પ્રશ્ન છે. અથાર્ત સુરત મહાનગરપાલિકા ઈચ્છે છે કે, શ્વાનના બચ્ચાઓ (પપ્પી) કેટલા છે તે પણ ગણતરી
કરવામાં આવે. આ જટિલ પ્રક્રિયાને કારણે, હજુ સુધી સુરત મહાનગરપાલિકાને કોઈ સંસ્થા મળી નથી. મનપાએ 5 વખત ટેન્ડર બહાર પાડ્યા માર્કેટ ખાતાના અધિકારી રવિ પટેલે જણાવ્યું હતું કે, 'શહેરમાં રખડતા
શ્વાનોના આતંકના બનાવો સતત સામે આવતા રહે છે, સુરતમાં ડોગ બાઈટના કેસોમાં પણ વધારો નોંધાયો છે. સુરત મહાનગરપાલિકા ખસીકરણ અને રસીકરણની કામગીરી કરી રહી છે, પરંતુ સુરતમાં શ્વાનોની વસ્તી કેટલી છે
તે જાણવા માટે, પાલિકા સંસ્થાની શોધમાં છે. સતત પાંચમી વાર ટેન્ડર બહાર પાડવા આવ્યા છે. આ એક સર્વે માધ્યમ છે અને સર્વેના આધારે અમે જાણવા માંગીએ છીએ કે સુરત શહેરમાં કુલ કેટલાં શ્વાન છે?
કેટલાંનું ઓપરેશન થઈ ગયું છે અને કેટલાં બાકી છે? સાથે જ અમે શ્વાનના બચ્ચાઓની સંખ્યા પણ જાણવા માંગીએ છીએ. આ માટે અમે ટેન્ડર બહાર પાડી રહ્યા છીએ.'